Hu Krishna Chhu - Vol 4

  • Format:

કૃષ્ણની આત્મકથા મારા રાજનૈતિક ઉદયની કહાણી ‘હું કૃષ્ણ છું – મારા રાજનૈતિક ઉદયની કહાણી’ બેસ્ટસેલિંગ ‘હું મન છું’નાં લેખક દીપ ત્રિવેદી દ્વારા લિખિત ‘હું કૃષ્ણ છું’ શૃંખલાનું ચોથું પુસ્તક છે. આ પુસ્તકમાં કૃષ્ણનાં જીવન સાથે સંકળાયેલા અનેક મહત્વપૂર્ણ પ્રશ્ર્નોનાં જવાબ તથા ઘટનાઓનાં વિસ્તૃત વર્ણન છે. જેમ કે: દ્રૌપદીનાં સ્વયંવર યોજવામાં કૃષ્ણને કેવા કેવા પડકારોનો સામનો કરવો પડ્યો હતો? કૃષ્ણને હસ્તિનાપુરની રાજનીતિમાં કેમ હસ્તક્ષેપ કરવો પડ્યો હતો? પાંડવો માટે નવાં રાજ્ય ઇન્દ્રપ્રસ્થની સ્થાપના કેમ, કેવી રીતે અને કઈ પરિસ્થિતિઓમાં થઈ? ‘હું કૃષ્ણ છું’નાં પહેલા ભાગને મળેલ ભવ્ય પ્રતિસાદ પછી તેને વર્ષ 2018 નાં Crossword Book Awards નાં 'Best Popular Non-Fiction' કેટેગરીમાં પણ નામાંકિત થઈ ચૂક્યા છે. ‘હું કૃષ્ણ છું’માં કૃષ્ણનાં જીવનને પંદરથી પણ વધુ પૌરાણિક ગ્રંથોમાં રિસર્ચ કર્યા બાદ શ્રેણીબદ્ધ રીતે લખવામાં આવ્યું છે, જેમાં કૃષ્ણનાં પ્રત્યેક કર્મની પાછળનાં સાયકોલૉજિકલ કારણો ઉપર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. આત્મવાર્તાની શૈલીમાં લખાયેલ કૃષ્ણની આ આત્મકથામાં વાચકોને બતાવવામાં આવે છે કે કઈ રીતે કૃષ્ણએ પોતાની ચેતનાને સહારે જીવનનાં બધાં યુદ્ધ જીત્યાં અને એ શિખર ઉપર જઈને વિરાજમાન થયા કે જેવા આજે આપણે તેમને જાણીએ છીએ. કેમકે પુસ્તકનાં લેખક સ્પિરિચ્યુઅલ સાયકો-ડાયનેમિક્સના અગ્રિમ પ્રણેતા છે, તેથી તેમણે બધી જ આવશ્યક જગ્યાઓ પર કૃષ્ણની સાયકોલૉજી પર પ્રકાશ પાડ્યો છે, જેથી વાચક એ સમજી શકે કે કૃષ્ણએ જે કર્યું, એ શા માટે કર્યું. આ પુસ્તક હિન્દીમાં પણ ઉપલબ્ધ છે.

Customer questions & answers

Add a review

Login to write a review.

Related products

Subscribe to Padhega India Newsletter!

Step into a world of stories, offers, and exclusive book buzz- right in your inbox! ✨

Subscribe to our newsletter today and never miss out on the magic of books, special deals, and insider updates. Let’s keep your reading journey inspired! 🌟