મની કમાવાની સ્માર્ટ રીત કઈ છે?\n\nમનીના અભાવને દૂર કેવી રીતે કરવો?\n\nમનીને વાઈઝલી મેનેજ કેવી રીતે કરવા?\n\nઈન્વેસ્ટમેન્ટના પાવરનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો?\n\nફાઈનાન્શિયલ પ્રૉબ્લેમ્સ અને મની ટ્રેપ્સથી કેવી રીતે બચવું?\n\nમનીની સ્માર્ટનેસને કેવી રીતે ટેકલ કરવી? \n\nઆ સવાલોના જવાબ શોધવા આજના આધુનિક યુગમાં જીવવા માટે જ નહીં પરંતુ પ્રગતિ કરવા માટે પણ આવશ્યક છે. અને આ સવાલોના જવાબ મનીની સાયકોલૉજીને ઊંડાણપૂર્વક સમજ્યા પછી જ શોધી શકાય છે. તેથી, આ જ સંદર્ભમાં ‘હું મન છું’, ‘હું ગીતા છું’ તથા ‘સર્વસ્વ સાયકોલૉજી છે’ જેવા અનેક બેસ્ટસેલિંગ પુસ્તકોના લેખક દીપ ત્રિવેદી મની પર પોતાની મોસ્ટ અવેટેડ બુક ‘મની ની સ્માર્ટ સાયકોલૉજી’ પ્રસ્તુત કરી રહ્યા છે. \n\nદીપ ત્રિવેદીએ આ પુસ્તકમાં જણાવ્યું છે કે મની કમાવા એટલું પણ અઘરું નથી, જેટલું દેખાય છે. હકીકતમાં મની કમાવાના સાચા એપ્રોચના અભાવને કારણે મોટાભાગના લોકોને મની કમાવા મુશ્કેલ લાગે છે. અને આ પુસ્તક મની કમાવાનો સાચો એપ્રોચ શિખવાડવાની સાથે-સાથે આપણા મનને ઈચ્છિત મની કમાવા માટે સેટ પણ કરે છે. સાથે જ લેખકે આ પુસ્તકમાં ઈન્વેસ્ટમેન્ટના પાવરને પણ સમજાવ્યો છે તથા મનીને તેના અનુસાર રોકાણ કરવાના સૂચનો પણ આપ્યા છે. \n\nસૌથી ખાસ વાત એ છે કે લેખકે આ પુસ્તકમાં મની કમાવાની સાથે-સાથે મની દ્વારા થતા સ્ટ્રેસ અને ઝઘડાઓને સમાપ્ત કરવા માટેના સોલ્યુશન્સ પણ આપ્યા છે. એક વાક્યમાં કહીએ તો, આ પુસ્તક મની સંબંધિત તમામ પ્રૉબ્લેમ્સનું વન-પૉઈન્ટ સોલ્યુશન હોવાની સાથે-સાથે એક માસ્ટરપીસ પણ છે, જે મનીના તમામ પાસાંઓને અલગ-અલગ કેસ સ્ટડીઝ દ્વારા સરળ ભાષામાં સ્પષ્ટતાપૂર્વક સમજાવે છે. એકંદરે આ પુસ્તક આજના આધુનિક યુગમાં કોઈપણ મની પ્રૉબ્લેમ વગર એક સમૃદ્ધ જીવન જીવવાની એકમાત્ર ગાઈડ છે.
Add a review
Login to write a review.
Customer questions & answers